Wednesday, March 29, 2006

Hriday Gita (9), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પ્રાકૃતિક અને આધ્યાન્મિક

નામ

નવમ અધ્યાય


પ્રભુએ કહ્યું :

સારું ઝાડ નઠારાં ફળ આપી શકતું નથી,
ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.

૧.

સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે,
નઠારું માણસ નઠારા ભંડારામાંથી નઠારું કાઢે છે.

૨.

ભૂંડી કલ્પના, હત્યા, વ્યભિચાર, જુઠાણું, નિંદા
હૃદયમાંથી નીકળે છે ;
માણસને વટાળે તે એ જ છે.

૩.

તમે પોતાને માણસો આગળ ન્યાયી દેખાડો છો ;
પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે.

૪.

તમે થાળી વાટકો બહારથી રુદ્ધ કરો છો ;
પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઇએ ભરેલું છે.

૫.

માંહેની વસ્તુઓ દાનધર્મમાં આપો ;
અને જુઓ, બધું તમને શુદ્ધ છે.

૬.

માણસ જે વાવે તે જ તે લણશે.
જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે ;
જે આત્માને અર્થે વાવે તે આત્માથી શાશ્વત જીવન લણશે.

૭.

દૈહિક ભાવ ઈશ્વર પર વેર છે,
દૈહિક ભાવ મૃત્યુ છે.
આધ્યાત્મિક ભાવ જીવન તથા શાંતિ છે

૮.

દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે
અને આત્મા દેહની વિરુદ્ધ,
કેમકે તેઓ પરસ્પર વિરુદ્ધ છે.

૯.

આ સાંભળી એક શિષ્યે કહ્યું :

હું જાણું છું કે દેહમાં કંઇ જ સારું વસતું નથી,
કેમકે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી
પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરું છું.

૧૦.

હું અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું
જે મનના નિયમની સામે લડે છે,
અને અવયવોમાં રહેલા પાપના નિયમનાં બંધનમાં લાવો છે.

૧૧.

કેવો હું દુર્ભાગી !
આ મરણના શરીરથી કોણ મુક્ત કરશો ?

૧૨.

પ્રભુ ઈસુ બોલ્યા :

જે દેહથી જન્મેલ છે તે દેહ છે
જે આત્માથી જન્મેલ છે તે આત્મા છે.

૧૩.

હું નિશ્ચયપૂર્વક કહું છું કે
જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય
તો તે ઈશ્વરી રાજ્ય જોઈ શકતો નથી.

૧૪.

જો કોઈ માણસ આત્માથીં જન્મ્યો ન હોય
તો તે ઈશ્વરી રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી.

૧૫.

જેટલા મારો અંગીકાર કરે છે
એટલે જેટલા મારા નામ પર વિશ્વાસ કરે છે
તેટલાને મેં ઈશ્વરપુત્રો થવાનો અધિકાર આપ્યો છે.

૧૬.

તેઓ દેહની ઇચ્છાથી નહિ
કે મનુષ્યની ઇચ્છાથી નહિ
પણ ઈશ્વરથી જન્મ પામ્યા છે.

૧૭.

વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી
તેઓને પુનર્જન્મ આપવામાં આવ્યો છે.

૧૮.

ત્યારે અતિ હર્ષથી ભક્તે કહ્યું :

આપણા આત્માની સાથે પ્રભુનો આત્મા સાક્ષી આપે છે કે
આપણે ઈશ્વરપુત્રો છીએ.
આપણને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે
જેથી ‘ પ્રભુ પિતા ’ કહીને આપણે પોકારીએ છીએ.

૧૯.

અવિનાશી, નિર્મળ તથા ન કરમાનાર વતનને માટે આપણને
પુનર્જન્મ આપ્યો છે.

૨૦.

પ્રભુએ કહ્યું :

જેટલા મારા આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરપુત્રો છે.
આત્માથી ચાલો એટલે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.

૨૧.

ભક્તે કહ્યું :

પ્રભુ આપણામાં વસે છે
તેથી દેહવાસના મરેલી છે પણ આત્મા જીવે છે.

૨૨.

પ્રભુનો આત્મા આપણામાં વસે છે
તો તેથી આપણે દૈહિક નથી પણ આધ્યાત્મિક છીએ.
આપણે દેહ પ્રમાણે નહિ પણ
આત્મા પ્રમાણે ચાલીએ છીએ.

૨૩.

પ્રભુના જીવનના આત્માના નિયમે
મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.

૨૪.

ત્યારે પ્રભુએ કહ્યું :

જે કોઈ ઈશ્વરથી જન્મેલો (દ્વિજ) છે તે પાપ કરતો નથી,
કેમકે ઈશ્વરનું બીજ તેનામાં રહે છે.

૨૫.

તે પાપ કરી શકતો નથી
કેમકે તે ઈશ્વરથી જન્મેલો છે.

૨૬.

તેણે જૂના માનવત્વને તેનાં કર્મોસહિત ઉતારી નાખ્યું છે,
અને તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે
જે નવું કરાતું જાય છે
તે નવા માનવત્વને ધારણ કર્યું છે.

૨૯.

મનોવૃત્તિમાં નવા થવાથી
મનથી નવીનતાને યોગે
તે પૂર્ણ રીતે રૂપાંતર પામ્યો છે.

૨૮.

ઉપરની વ તો પર ચિત્ત લગાડો
પૃથ્વી પરની વાતો પર નહિ.

૨૯.

શિષ્યોએ કહ્યું :

જે જૂનું તે જતું રહ્યું છે ;
જુઓ, તે નવું થયું છે.

૩૦.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
પ્રાકૃતિક અને આધ્યાત્મિક નામનો નવમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment