Saturday, March 25, 2006

Hriday Gita (8), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

રાજયોગ

નામ

અષ્ટમ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર
સ્વર્ગીય રાજ્ય સ્થાપન થાઓ.

૧.

સમય પૂરો થયો છે સ્વર્ગીય રાજ્ય નજીક છે :
પશ્ચાત્તાપ કરો અને મારામાં શ્રદ્ધા લાવો.

૨.

લોકોએ પૂછ્યું :

ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે ?

પ્રભુ ઈસુએ ઉત્તર દીધો.

ઈશ્વરી રાજ્ય દસ્ય રીતે નથી આવતું ;

૩.

એમ નહિ કહેવામાં આવે કે
જુઓ, તે આ કહ્યું, કે પેલું રહ્યું.

૪.

કેમકે, ઈશ્વરી રાજ્ય તમારી મધ્યે છે,
ઈશ્વરી રાજ્ય તમારામાં છે.

૫.

એક બાળકને બોલાવીને શિષ્યોની વચ્ચે ઊભું રાખ્યું,

૬.

અને

પ્રભુ ઈસુ બોલ્યા :

જો તમારું પરિવર્તન નહિ થાય
અને તમે બાળકના જેવા નહિ થાઓ,
તો સ્વર્ગીય રાજ્યમાં તમે પ્રવેશ કરી શકશો નહિ.

૭.

જે કોઈ બાળકની પેઠે ઈશ્વરી રાજ્ય સ્વીકારશે નહિ
તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.

૮.

જે કોઈ પોતાને આ બાળક જેવું દીન કરશે
તે જ સ્વર્ગીય રાજ્યમાં સૌથી મોટું છે.

૯.

આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે
કેમકે સ્વર્ગીય રાજ્ય તેઓનું છે.

૧૦.

ઈશ્વરી રાજ્ય નીતિપરાયણતા, શાંતિ અને
પવિત્રાત્માદ્વારા આનંદ એમાં સમાયેલું છે.

૧૧.

તમે પહેલાં ઈશ્વરી રાજ્ય તથા તેની નીતિમયતા શોઘો અને
બીજાં બધાં વાનાં પણ તમને આપવામાં આવશે.

૧૨.

ઈશ્વરી રાજ્ય એવું છે કે
જાણે કોઈ માણસ ભોંયમાં બી વાવે
રાત દહાડો ઊંઘે તથા જાગે
અને તે બી ઊગે તથા વધે ;
પણ તે શી રીતે થાય છે તે તે માણસ જાણતો નથી.

૧૩.

ભોંય તો પોતાની મેળે ફળ આપે છે,
પહેલાં અંકુર, પછી કણસલું
પછી કણસલામાં પૂરા દાણા.

૧૪.

અશુદ્ધ, દુરાચારી અને દ્રવ્ય લોભીને
ઈશ્વરી રાજ્યાં કંઈ ભાગ નથી.

૧૫.

શ્રીમંતને સ્વર્ગીય રાજ્યમાં પેસવા કરતાં
ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.

૧૬.

સ્વર્ગીય રાજ્ય સારા મોતીની શોધ કરનાર એક
વેપારીના જેવું છે.

૧૭.

તે વેપારીને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી ત્યારે
જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું અને
તે મોતી વેચાતું લીધું.

૧૮.

જેઓ રાજકર્તા કહેવાય છે તેઓ લોકો પર ધણીપણું કરે છે,
અને જેઓ મોટા હોય છે તેઓ લોકો પર અધિકાર ચલાવે છે
પણ આપણામાં એમ નથી.

૧૯.

જો કોઈ પહેલો થવા ચાહે
તો તે સૌથી છેલ્લો અને સૌનો સેવક થાય.
તમ સર્વમાં જે નાનો છે તેજ મોટો છે.

૨૦.

હું રાજા છું, પણ
મારું રાજ્ય આ સંસારનું નથી.

૨૧.

જે મોટે થવા ચાહે તે તમ સૌનો સેવક થાય
અને પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય.

૨૨.

જેમ હું પણ સેવા કરાવવાને નહિ પણ
સેવા કરવાને આવ્યો છું તેમ.

૨૩.

શિષ્યો જમવા બેઠા ત્યારે પ્રભુ ઈસુ પોતે જમણ પરથી ઊઠે છે.
અને પોતાનાં કપડાં ઉતારીને તેમણે રૂમાલ લઈને કમરે બાંધ્યો.

૨૪.

પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોયા તથા
કમરે બાંધેલા રૂમાલથી લૂછવા લાગ્યા.

૨૫.

આ પછી પ્રભુએ કહ્યું :

જો મેં પ્રભુએ તથા ગુરુએ તમારા પગ ધોયા
તો તમારે પણ એક બીજાના પગ ધોવા જોઈએ.

૨૬.

જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો
માટે મેં તમને નમૂનો આપ્યો છે.

૨૭.

તમારામાં જે મોટો હોય તેણે નાના જેવું થવું
અને જે આગેવાન હોય તેણે સેવા કરનાર જેવા થવું.

૨૮.

હું તમારામાં સેવા કરનાર જેવો છું.
તમે સઘળા એક બીજાની સેવા કરવા સારુ
નમ્રતા ધારણ કરો.

૨૯.

દરેક નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણાવા.
માન આપવામાં પોતા કરતાં બીજાને અધિક ગણો.

૩૦.

મેં તમને રાજ્ય ઠરાવી આપ્યું છે,
તમે સ્વર્ગીય રાજ્યની પ્રજા છો.
તમે પસંદ કરેલી જાતિ, પવિત્ર પ્રજા તથા
પ્રભુના ખાસ લોક છો.

૩૧.

જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે,
તે બધા સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરશે એમ નથી, પણ
જે મારી ઈચ્છા પ્રમાણે કરે છે તે પ્રવેશ કરશે.

૩૨.

ઘણા સંકટમાં થઈને સ્વર્ગીય રાજ્યમાં જવું પડે છે.
જે ઈશ્વરીય રાજ્યને સારુ દુ:ખ વેઠો છો
તે રાજ્યમાં પ્રવેશ પામવાને યોગ્ય ગણાઓ છો.

૩૩.

ધર્મપરાયણતાને કારણે જેઓને સતાવવામાં આવે છે
તેઓને ધન્ય છે,
સ્વર્ગીય રાજ્ય તેઓનું છે.

૩૪.

તમે તમારા વેરીઓ ઉપર પ્રીતિ કરો,
જેઓ તમારી પાછળ પડે છે તેઓને સારુ પ્રાર્થન કરો.

૩૫.

જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,
જેઓ તમને શ્રાપ દે છે તેઓને આશીર્વાદ દો,

૩૬.

જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો,
જેથી તમે સ્વર્ગીય પિતાના સંતાન થાઓ.

૩૭.

કારણ કે તે પોતાના સૂર્યને ભૂંડા તેમ જ ભલા પર ઉગાવે છે.
એને ધાર્મિક તેમ જ અધાર્મિક પર વરસાદ વરસાવે છે.

૩૮.

માટે જેવા સ્વર્ગીય પિતા દયાળુ છે
તેવા તમે દયાળુ થાઓ.

૩૯.

ભૂંડા માણસની સામા ન થાઓ.
જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે
તેની આગળ બીજો પણ ધર.

૪૦.

જે તારું પહેરણ લેવા દાવો કરે
તેને તારો ડગલો પણ લેવા દે.

૪૧.

જે કોઈ તારી પાસે માગે છે તેને આપ,
અને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે
તેનાથી મોં ન ફેરવ.

૪૨.

જેની પાસે બે ડગલા હોય તે
જેની પાસે એકે નથી તેને એક આપે ;
જેની પાસે ખોરાક હોય તે પણ એમ કરે.

૪૩.

જેમ તમે ચાહો કે લોકો તમારા પ્રત્યે વર્તે
તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.

૪૪.

કોઈની નિંદા ન કરવી,
નમ્ર રહીને સર્વ માણસ સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.

૪૫.

આનંદ કરનારાઓ સાથે આનંદ કરો,
રડનારાઓની સાથે રડો.

૪૬.

કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઈન્સાફ નહિ કરાશે.
કોઈને દોષિત ન ઠરાવો અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે.
ક્ષમા કરો અને તમને ક્ષમા કરવામાં આવશે.

૪૭.

જો તારો ભાઈ એક દહાડામાં સાતવાર તારો અપરાધ કરે
અને સાતવાર કહે કે હું પસ્તાઉં છું ;
તો તેને માફ કર.

૪૮.

જો તમે માણસોના અપરાધ તમારા ખરા દિલથી માફ નહિ કરો
તો તમારા અપરાધ પણ તમને માફ નહિ થશે.

૪૯.

જેટલા તરવાર પકડે છે
તેઓ સર્વ તરવારથી નાશ પામશે.

૫૦.

સલાહ કરાવનારાઓને ધન્ય છે :
તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે.

૫૧.

જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે :
તેઓ પૃથ્વીનું વતવ પામશે.

૫૨.

આ સર્વ સાંભળી શિષ્યો ઉચ્ચ સ્વરે બોલ્યા :

પરમઉચ્ચસ્થાને પ્રભુને મહિમા,
પૃથ્વી પર શાંતિ, માનવીઓમાં શુભેચ્છા.

૫૩.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
રાજયોગ નામે અષ્ટમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (7), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

કર્મયોગ
નામ
સપ્તમ અધ્યાય


પ્રભુ બોલ્યા :

જેઓ મારા પર શ્રદ્ધા રાખે છે
તેઓ સુકૃત્યો કરવાની કાળજી રાખે.

૧.

જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમ
શ્રદ્ધા પણ સત્કર્મ વગર નિર્જીવ છે.

૨.

સુકૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવે છે.
જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યસાધક છે તે જ ઉપયોગી છે.

૩.

ઉત્તરમાં ભક્તે કહ્યું :

અમે પ્રભુની કૃતિ છીએ.
સત્કર્મો કરવાને અમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે.

૪.

પ્રભુની ઇચ્છા પૂરી કરવી અને
તેમનું કામ પૂર્ણ કરવું એ જ મારું અન્ન છે.

૫.

પ્રભુ ઈસુએ કહ્યું :

દરેકને ઈશ્વર તરફથી જે દાન મળ્યું હોય તે તેણે એકબીજાની
સેવા કરવામાં સારા કારભારી તરીકે વાપરવું જોઈએ.

૬.

એ પર ભક્તે કહ્યું :

દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે
અને ઈશ્વર પિતા પાસેથી ઊતરે છે.

૭.

જો કોઈ માણસને ઈશ્વર તરફથી આપવામાં આવ્યું ન
હોય તો તે કંઈ પામી શકતો નથી.

૮.

જે કોઈને ઘણું સોંપેલું છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.
જે થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે.

૯.

સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું.
ઉદ્યોગમાં આળસુ ન થાઓ.
આત્મામાં ઉત્સાહી થાઓ.
પ્રભુની સેવા કરો.

૧૦.

મારામાંની હરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને
કાપી નાખવામાં આવે છે.
અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે
માટે શુદ્ધ કરવામાં આવે છે.

૧૧.

જે કામ હું કરું છું તે જ મારા મર વિશ્વાસ કરનાર પણ કરશે,
આને તેનાં કરતાં પણ મોટાં કામ કરશે.

૧૨.

જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી
નથી શક્તી તેમ,
તમે પણ મારામાં રહ્યાં વિના ફળ આપી શકતા નથી.

૧૩.

જે મારામાં રહે છે અને હું તેનામાં વસું છું તે જ
ઘણાં ફળ આપે છે.
મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.

૧૪.

ભક્તે કહ્યું :

કોઈ પણ બાબત અમારા પોતાથી થાય એવા અમે યોગ્ય નથી ;
પણ અમારી યોગ્યતા પ્રભુ તરફથી છે.
તેમણે અમને આત્માના સેવકો થવાને યોગ્ય કર્યા છે.

૧૫.

અમે પ્રભુના આત્માથી સેવા કરનારા
અને પોતા પર ભરોસો નહિ રાખનારા એવા છીએ.

૧૬.

જે પોતાની પ્રસન્નતા પ્રમાણે અમારામાં ઇચ્છવાની તથા કરવાની
પ્રેરણા કરે છે તે તો પ્રભુ છે.

૧૭.

હું મારી મેળે કંઈ કરી શકતો નથી.
પ્રભુ મારામાં રહીને પોતાનાં કામ કરે છે.

૧૮.

તેમની પ્રેરણાથી જે બળથી મારામાં પ્રેરણા કરે છે
તે પ્રમાણે હું મહેનત કરું છું ;
હું તો નહિ પણ તેમની જે કૃપા મારા પર છે તે.

૧૯.

પ્રભુ જે મને સામર્થ્ય આપે છે
તેમની સહાયથી હું સર્વ કરી શકું છું.

૨૦.

પ્રભુએ કહ્યું :

મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.

૨૧.

ભક્તે કહ્યું :

પ્રભુનું પરાક્રમ મારા ઉપર આવી રહે
તેથી જ્યારે હું નિર્બળ છું ત્યારે બળવાન છું.

૨૨.

અમારામાં કાર્ય કરનાર પોતાના સામર્થ્ય પ્રમાણે
અમે માગીએ કે કલ્પીએ તે કરતાં
પ્રભુ અમારે સારુ વિશેષ કરી શકે છે.

૨૩.

તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે
આપણ વિશ્વાસ કરનારાઓમાં
તેમની શક્તિનું મહત્વ શું છે તે આપણે જાણીએ.

૨૪.

પ્રભુ બોલ્યા :

જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી
તમારે એમ કહેવું, કે
અમે નકામા ચાકરો છીએ ;
જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.

૨૫.

તે પર ભક્તે કહ્યું :

પ્રભુના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે
તેણે પોતાના કામથી વિશ્રામ લીધો છે.

૨૬.

આપણે વિશ્વાસ કરનારા
વિશ્રામમાં પેસીએ છીએ.

૨૭.

માણસોને સારુ નહિ પણ પ્રભુને સારુ એમ સમજીને
જે કંઈ કરીએ તે ખરા દિલથી કરીએ.

૨૮.

આપણે પ્રભુ ખ્રિસ્તની સેવા કરીએ છીએ.
વચનથી કે કાર્યથી જે કંઈ કરીએ તે સર્વ પ્રભુ ઈસુને
નામે કરીએ.

૨૯.

આપણે ખાઈએ કે પીએ કે જે કંઈ કરીએ
તે સર્વ પ્રભુ ઈસુના મહિમાને અર્થે કરીએ.

૩૦.

પ્રભુએ કહ્યું :

તમે સત્કર્મ કર્યા કરો અને
સર્વ સારાં કામની વૃદ્ધિ કરતા રહો.

૩૧.

નિખાલસ હૃદયથી, માણસોને પ્રસન્ન કરનારાઓની પેઠે નહિ
પણ મારા દાસોની પેઠે જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો.

૩૨.

તમારા પ્રભુનાં કામમાં સદા મમ્યા રહો કેમકે
તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી.

૩૩.

જે કોઈ મારે નામે ઠંડા પાણીનું પ્યાલું પાય છે
તે તેનું ફળ ગુમાવશે નહિ.

૩૪.

જે મારે નામે નાના બાળકનો સત્કાર કરે છે
તે મારો સત્કાર કરે છે.

૩૫.

હું ભૂખ્યો હતો ત્યારે તમે મને જમાડ્યો ,
હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું.

૩૬.

હું નગ્ન હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં,
હું ત્રાહિત હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં,

૩૭.

હું માંદો હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી ;
હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી.

૩૮.

આ મારા બંધુઓમાંના બહુ નાનામાંથી એકને તમે જે કર્યું
એટલે તે તમે મને કર્યું.

૩૯.

ત્યારે એક ભક્તે કહ્યું :

ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે,
અને અમે પોતે પ્રભુને લીધે સૌના દાસ છીએ.

૪૦.

જેઓ જીવે છે તેઓ પોતાના અર્થે નહિ પણ
પ્રભુને અર્થ જીવે.

૪૧.

ચાહે તો જીવનથી કે ચાહે તો મરણથી મારા શરીરદ્વારા
પ્રમુના મહિમાની વૃદ્ધિ થાઓ :

૪૨.

કેમકે મારે જીવવું તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત,
અને મરવું તે લાભ છે.

૪૩.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
કર્મયોગ નામનો સપ્તમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (6), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પ્રેમયોગ
નામ
ષષ્ઠ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

મેં તમારા પર પ્રેમ રાખ્યો છે;
તમે મારા પ્રેમમાં રહો.

૧.

ભક્ત બોલ્યા :

અમારા પ્રત્યે પ્રભુ ઈસુનો જે પ્રેમ છે, તે અમે જાણીએ છીએ,
અને અમે તેમના પ્રેમ પર વિશ્વાસ કર્યો છે.

૨.

અમે પ્રેમ રાખીએ છીએ
કેમકે પ્રભુએ પ્રથમ અમારા પર પ્રેમ રાખ્યો.

૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

જો તમે મારા પર પ્રેમ રાખો છો
તો તમે મારી આજ્ઞાઓ પાળશો,
જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
મારો પ્રેમ તમારામાં રહે, અને હું તમારામાં રહું.

૪.

જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો
તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.
જેમ મેં તમારા પર પ્રીતિ રાખી તેમ પ્રેમમાં ચાલો.

૫.

ભક્તે કહ્યું :

પરમેશ્વરે દુનિયા પર પ્રીતિ કરી
અને જગતમાં આવ્યા.

૬.

કેમકે પ્રભુ ઈસુ બ્રિસ્તે પોતાનો પ્રાણ આપણી વતી આપ્યો
અને આપણે પણ ભાઈઓને સારુ
આપણા પ્રાણ આપવા જોઈએ.

૭.

જો પ્રભુએ આપણા પર એવો પ્રેમ રાખ્યો
તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.

૮.

ખ્રિસ્ત પ્રભુનો પ્રેમ આપણને ફરજ પાડે છે.

૯.

પ્રભુએ કહ્યું :

જે પ્રેમ કરતો નથી તે પરમેશ્વરને ઓળખતો નથી
કેમકે પરમેશ્વર પ્રેમ છે.

૧૦.

જે પરમેશ્વર ઉપર પ્રેમ રાખે છે
તેણે પોતાના ભાઈ ઉપર પ્રેમ રાખવો જોઈએ.

૧૧.

જન્મ આપનાર પર જે પ્રેમ રાખે છે
તે તેનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે.

૧૨.

ભક્તે કહ્યું :

આપણામાં વસનાર પ્રભુના આત્માથી
આપણા અંત:કરણમાં પ્રભુનો પ્રેમ વહેતો થયેલો છે.

૧૩.

જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો
પ્રભુ આપણામાં રહે છે
અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.

૧૪.

આપણે સત્યને આધીન રહીને
બંધુઓ ઉપર નિષ્કપટ પ્રીતિને અર્થે
આપણાં મન પવિત્ર કર્યા છે.

૧૫.

પાટે આપણે ખરા અંત:કરણથી
એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરીએ,
કેમકે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.

૧૬.

આપણે કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.

૧૭.

જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય,
અને પોતાના ભાઈને ગરજ છે એવું જોયાં છતાં
તેના પર તે દયા ન કરે
તો તેનામાં પરમેશ્વરની પ્રીતિ શી રીતે રહી શકે ?

૧૮.

પ્રેમ પોતાના પડોશીઓનું કંઈ ભૂંડું કરતો નથી
તેથી પ્રેમ નિયમોનું સંપૂર્ણ પાલન છે.

૧૯.

પ્રભુ ઈસુ બોલ્યા :

પ્રેમ શંપૂર્ણતાનું બંધન છે, તે ધારણ કરો.
જે કંઈ કરો તે પ્રેમથી કરો.

૨૦.

જેવો પોતા પર તેવો અન્યો પર પ્રેમ કરો.
એકબીજા પર ગાઢ પ્રેમ કરો.

૨૧.

પ્રેમથી એક બીજાની સેવા કરો.
તમે એકબીજાના ભાર ઊંચકો.

૨૨.

શુદ્ધ હૃદયથી, સારા અંત:કરણથી
તથા ઢોંગ વગરની શ્રદ્ધાથી પ્રીતિ રાખો.

૨૩.

તમારા વેરીઓ ઉપર પ્રીતિ રાખો અને તેઓનું ભલું કરો.
એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો.

૨૪.

પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે,
પ્રેમ અદેખાઈ કરતો નથી, આપવડાઈ કરતો નથી,
ફુલાઈ જતો નથી, અયોગ્ય રીતે વર્તતો નથી,

૨૫.

પોતાનું જ હિત જોતો નથી, ખિજવાતો નથી,
અપકારને લેખવતો નથી,
પ્રેમ અન્યાયમાં હરખાતો નથી પણ સન્યમાં હરખાય છે.

૨૬.

સઘળું ખમે છે, સઘળું સહન કરે છે,
સઘળું ખરું માને છે, સઘળાંની આશા રાખે છે.
પ્રેમ કદી ખૂટતો નથી.

૨૭.

આ સાંભળી ભક્તે કહ્યું :

એકમેક પરના તથા સર્વ મનુષ્યો પરના
અમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વૃદ્ધિ કરો.

૨૮.

જેઓ પ્રભુ પર પ્રેમ કરે છે તેઓને
એકંદરે સઘળું હિતકારક તિવડે છે.

૨૯.

પ્રભુએ કહ્યું :

પ્રેમમાં ભય નથી,
જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી,
પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે.

૩૦.

પ્રફુલ્લિત થઈને ભક્તે કહ્યું :

પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકશે ?
વિપત્તિ, વેદના, સતામણી, દુકાળ, જોખમ કે તરવાર ?

૩૧.

પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આપણને
કંઈ જ જુદા પાડી શકશે નહિ.
પ્રભુની પ્રીતિમાં પોતાને સ્થિર રાખીએ.

૩૨.

પ્રભુએ કહ્યું :

તમારાં પૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને
મારી પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ
કેટલી છે તે
અને મારી પ્રીતિ જે માણસની સમજશક્તિની બહાર છે
તે તમે સમજો.

૩૩.

-

શ્રી હૃદયગીતા નામે આઘ્યાત્મ વિદ્યામાં
પ્રેમયોગ નામનો ષષ્ઠ આઘ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (5), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

આત્મા પરમાત્માયોગ
નામ
પંચમ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

હું તમારી પાસે સદા રહેવા માટે આવીશ.

૧.

હું હૃદયના દ્વાર આગળ ઊભો રહીને ઠોકું છું,
જો કોઈ મારી વાણી સાંભળીને દ્વાર ઉઘાડશે
તો હું તેની પાસે માંહે આવીશ.

૨.

જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો
તે મારું વચન પાળશે,
અને હું તેની પાસે આવીને તેની સાથે વસીશ.

૩.

જે મારી આજ્ઞા માળે છે
તેનામાં હું વસું છું અને તે મારામાં વસે છે.
તમે જાણશો કે તમે મારામાં છો
અને હું તમારામાં છું.

૪.

પરમેશ્વર પ્રેમ છે,
માટે જે પ્રેમમાં રહે છે તે પરમેશ્વરમાં વસે છે
અને પરમેશ્વર તેનામાં વસે છે.

૫.

ભક્ત બોલ્યા :

વિશ્વાસથી અમારા હૃદયમાં પ્રભુ વસે છે.

૬.

પ્રભુ ઈસુ બોલ્યા :

તમે મારામાં રહો અને તમારામાં રહીશ.

૭.

જો કોઈ મારામાં રહેતો નથી તો
ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે
અને તે સૂકાઈ જાય છે.

૮.

ભક્તે કહ્યું :

જે કોઈ ઈશ્વરનું વચન પાળે છે
તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખરો સંપૂર્ણ થયો છે.
એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરમાં છીએ.

૯.

હું તેનામાં રહું છું, એમ જે કહે છે,
તેણે જેમ પ્રભુ ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.

૧૦.

પ્રભુ ઈસુ બોલ્યા :

જેને હું છું તેને જીવન છે,
જેને હું નથી તેને જીવન નથી.
હું જીવું છું માટે તમે પણ જીવશો.

૧૧.

ભક્તે કહ્યું :

દેહમાં જે મારું જીવન છે
તે પ્રભુ પરના વિશ્વાસથી જ છે.

૧૨.

પ્રભુ વધતા જાય અને હું ઘટતો જાઉં
એ આવશ્યક છે.

૧૩.

હું જીવું છું, તો પણ હવેથી હું નહિ
પણ મારામાં પ્રભુ જીવે છે.

૧૪.

મારે જીવવું તે ખ્રિસ્ત છે ;
ખ્રિસ્ત પ્રભુ મારું જીવન છે.

૧૫.

પ્રભુને એ પસંદ પડ્યું કે
તે પોતાને મારામાં પ્રગટ કરે.

૧૬.

પ્રભુની સાથે જે જોડાય છે
તે તેમની સાથે એક આત્મા થાય છે.

૧૭.

હું પણ ખ્રિસ્ત પ્રભુને પ્રાપ્ત કરું
અને તેમની સાથે એકરૂપ થાઉં.

૧૮.

આપણે સૌ ઉઘાડે મુખે,
જાણે કે દર્પણમાં પ્રભુનો મહિમા નિહાળીને,
પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં,
પ્રભુના સ્વરૂપમાં જ રૂપાંતર પામીએ છીએ.

૧૯.

પ્રભુએ કહ્યું :

મારા અંતરનિવાસનાં ફળ આ છે :
પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું,
ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ.

૨૦.

ભક્તે કહ્યું :

આપણે પ્રભુતું મંદિર છીએ,
અને પ્રભુનો આત્મા આપણામાં વસે છે.

૨૧.

પ્રભુનું મંદિર પવિત્ર છે અને
તે મંદિર આપણે છીએ.

૨૨.

આપણામાં જે પ્રભુનો આત્મા છે
તેનું મંદિર આપણું શરીર છે,
તો શરીર વડે પ્રભુને મહિમા આપીએ.

૨૩.

શરીર પ્રભુને સારુ છે અને પ્રભુ શરીરને સારુ.
પ્રભુ શરીરનો ત્રાતા છે.

૨૪.

પ્રભુનો આત્મા આપણી નિર્બળતામાં આપણને
સહાય આપે છે.

૨૫.

પ્રભુ ઈસુ બોલ્યા :

ચિતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમકે
શું બોલવું તે તે જ ઘડીએ તમને આપવામાં આવશે.

૨૬.

કેમકે જે બોલે છે તે તમે નહિ,
પણ તમારામાં મારો આત્મા બોલે છે.

૨૭.

સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે.

૨૮.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં આત્મા
પરમાત્માથોગ નામનો પંચમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (4), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

ભક્તિયોગ
નામ
ચતુર્થ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

જેઓ મને ભજે છે તેઓએ
આત્માથી તથા સત્યતાથી મારું ભજન કરવું જોઈએ.
એવા ભક્તોને હું ઇચ્છું છું.

૧.

ભક્તે કહ્યું :

પ્રભુ પ્રસન્ન થાય એવી રીતે આપણે
તેમની સેના આદરભાવથી કરીએ.

૨.

પ્રભુ ઈસુએ કહ્યું :

તારા પૂરા હૃદયથી અને પૂરા જીવથી,
પૂરી બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી
મારા પર તું પ્રીતિ કર.

૩.

જે મારા પર પ્રેમ રાખે છે તેના પર હું પ્રેમ રાખીશ
અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.

૪.

મને ભજવા સારુ હૃદયને શુદ્ધ કરો.
મનમાં જે શુદ્ધ છે તેને ધન્ય છે, તે મારાં દર્શન પામશે.

૫.

મારા દાસ મારી આરાધના કરશે
અને તેઓ મારું મુખ નિહાળશે.

૬.

મારા ભક્ત મારો સાદ સાંભળે છે
અને તેઓ મને અનુસરે છે.

૭.

હું મારા પોતાનાંને ઓળખું, છું અને
મારા પોતાનાં મને ઓળખે છે.

૮.

શિષ્યોએ કહ્યું :

પ્રભુની ઇચ્છા શી છે તે સમજીએ.
પ્રભુને પસંદ પડતું શું છે તે સમજીએ.
પ્રિય બાળકો તરીકે પ્રભુનું અનુકરણ કરનારા થઈએ.

૯.

પ્રભુએ કહ્યું :

હું તમારો પ્રભુ તથા સ્વામી છું.
હું એક જ તમારો ગુરુ છું,
અને તમે સઘળા ભાઈઓ છો.

૧૦.

એક શિષ્યે કહ્યું :

મારા પ્રભુ ને મારા ઈશ્વર.
તેઓએ પ્રભુના ચરણ પકડ્યા અતે તેમનું ભજન કર્યું.
તેઓએ પ્રભુને વિનંતી કરી :
પ્રભુ, અમને પ્રાર્થના કરતાં શીખવો.

૧૧.

ત્યારે પ્રભુએ કહ્યું :

તમે પ્રાર્થના કરતાં અમથો લવારો ન કરો.
જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ
અને તારું બારણું બંધ કરીને
ગુપ્તમાં રહેનાર પ્રભુની પ્રાર્થના કર.

૧૨.

મારી પાસે આવો
અને તમે તમારા જીવમાં વિશ્રામ પામશો.
આત્મામાં સર્વ પ્રકારે તથા હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.
દરેક સંજોગોમાં પ્રભુની ઉપકારસ્તુતિ કરો.

૧૩.

સર્વદા પ્રાર્થના કરો અને કાયર ન થાઓ.
પ્રાર્થનામાં લાગુ રહો, પ્રભુની સેવા કરો,
ભક્તિમાં ખંતથી મંડ્યા રહો.

૧૪.

ભક્તે કહ્યું :

આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી
શ્રદ્ધા રાખીને પ્રભુની સંનિધ જઈએ.

૧૫.

દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારુ કૃપા પ્રાપ્ત કરવાને
હિંમતથી પ્રભુના કૃપાસનની પાસે જઈએ.

૧૬.

તેમના પરના વિશ્વાસથી પ્રભુમાં આપણને
હિંમત તથા ભરોસા સહિત પ્રવેશ છે.

૧૭.

યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી ;
પરંતુ પ્રભુનો આત્મા પોતે આપણે સારુ મધ્યસ્થતા કરે છે
અને આપણી નિર્બળતામાં સહાય આપે છે.
આપણે પ્રભુના આત્માથી સેવા કરનારા છીએ.

૧૮.

પ્રભુ ઈસુએ કહ્યું :

જો તમે મારામાં રહો અને મારાં વચન તમારામાં રહે તો
જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે.

૧૯.

જે કંઈ તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં માગશો
તે સઘળું તમે પામશો.

૨૦.

પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો
તે અમે પામ્પા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે.

૨૧.

તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો અને તમને મળશે.
તમારામાં મારો આનંદ રહો અને
તમારો આનંદ સંપૂર્ણ થાઓ.

૨૨.

આનંદ કરો, પ્રભુમાં સર્વદા આનંદ કરો.
ગીતોથી સ્તોત્રોથી તથા આધ્યાત્મિક ગાનોથી
તમારા હૃદયમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ઞાઓ.

૨૩.

તમારા મન આનંદ પામશે અને
તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.

૨૪.

ભક્ત બોલ્યા :

પૂર્ણ આનંદથી અમારા પ્રભુની આગળ
અમે આનંદ કરીએ છીએ.

૨૫.

પ્રભુ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રીએ ઘણું મૂલ્યવાન એક
શેર અત્તર લઈને પ્રભુને પગે ચોળ્યું

૨૬.

અને પોતાને ચોટલે તેમના પગ લૂછ્યા,
અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી.

૨૭.

ત્યારે પ્રભુ બોલ્યા :

એ સ્ત્રીથી બની શફયું તે તેણે કર્યું છે.

૨૮.

તારા પ્રભુનું ભજન કર
અને તેની એકલાની જ સેવા કર.

૨૯.

એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો.
સંતોષ સહિતનો ભક્તિભાવ મોટો લાભ છે.

૩૦.

કોઈથી બે શેઠની ચાકરી થઈ શકે નહિ ;
દેવની તથા દ્રવ્યની સેવા તમે કરી નથી શકતા.

૩૧.

જ્યારે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ત્યારે
જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો.

૩૨.

જેમ પ્રભુએ તથને ક્ષમા આપી તેમ તમે એકબીજાને ક્ષમા આપો.
એમ પ્રિય બાળકો તરીકે તમે મારું અનુકરણ કરનારા થાઓ.

૩૩.

તમે પ્રાર્થના કરો ત્યારે કહો, કે
હે પ્રભુ, અમારા અપરાધ અમને માફ કરો,
કેમકે અમે પોતે પણ અમારા હરેક અપરાધીને
માફ કરીએ છીએ.

૩૪.

મારી શાંતિ હું તમને આપું છું.
તમને શાંતિ થાઓ.

૩૫.

મારી શાંતિ જે સર્વ સમજણથી પર છે
તે તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.

૩૬.

શ્રદ્ધાવાનોએ કહ્યું :

શાંતિના સ્વામી અમારી સાથે રહેશે.

૩૭.

પરમ પ વત્ર વિશ્વાસમાં વધતા જઈને,
પવિત્રાત્મામાં પ્રાર્થના કરીને,
અમે ઈશ્વરની પ્રીતિમાં પોતાને સ્થિર રાખીએ.

૩૮.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
ભક્તિયોગ નામનો ચતુર્થ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (3), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

શ્રદ્ધાયોગ
નામ
તૃતીય અધ્યાય


એક શ્રદ્ધાવાને કહ્યું :

શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન કરવાનું બની શકતું નથી.

૧.

પ્રભુએ કહ્યું :

મારો ભક્ત વિશ્વાસથી જીવશે.

૨.

બે આંધળા પ્રભુ ઈસુની પાસે આવ્યા અને બોલ્યા :
પ્રભુ અમારા પર દયા કરો.

૩.

પ્રભુએ પૂછ્યું :

હું તમારે વાસ્તે શું કરું,
એ વિષે તમારી શી ઇચ્છા છે ?

૪.

તેઓએ કહ્યું :

પ્રભુ, અમારી આંખો ઊઘડી જાય.

૫.

પ્રભુએ તેઓને કહ્યું :

હું એ કરી શકું એવો તમને વિશ્વાસ છે ?

૬.

આંધળાઓએ કહ્યું :

હા પ્રભુ.

૭.

ત્યારે પ્રભુને દયા આવી
અને તેમની આંખોને અડકીને કહે છે :
તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.

૮.

અને તરત તેઓ દેખતા થયા અને પ્રભુની પાછળ ચાલ્યા.

૯.

પ્રભુ બોલ્યા :

જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય
માટે હું આ જગતમાં આવ્યો છું.

૧૦.

અંધારામાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે
તે તે જાણતો નયી.

૧૧.

હું જગતની જ્યોતિ છું.
જે મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહિ ચાલશે,
પણ જીવનનો પ્રકાશ પામશે.

૧૨.

જે કોઈ મારા મર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે,
માટે હું પ્રકાશરૂપે આવ્યો છું.

૧૩.

જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે
ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો
જેયી તમે પ્રકાશપુત્ર થાઓ.

૧૪.

એક સ્ત્રીને બાર વરસથી લોહીવા હતો,
અને તેણે ઘણા વૈદોથી ઘણું સહન કર્યું હતું
અને કોઈ તેને સાજી કરી શક્યું નહોતું.

૧૫.

તે પ્રભુની પછવાડે આવી અને તેમના વસ્ત્રની કોરને અડકી
કેમકે, તેણે પોતાના મનમાં ધાર્યું :
જો હું માત્ર પ્રભુના વસ્ત્રને અડકું તો સાજી થઈશ.
તેણે એમ કર્યું અને તુરત તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.

૧૬.

પ્રભુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું ;
પુત્રી હિમ્મત રાખ,
તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, શાંતિથી જા.

૧૭.

એક જમાદારે પ્રભુની પાસે આવીને વિનંતી કરી :
પ્રભુ તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી.
પણ તમે કેવળ શબ્દ કહો એટલે મારો ચાકર સાજો થશે.

૧૮.

પ્રભુ ઈસુએ જમાદારને કહ્યું :

જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાઓ.
તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો.

૧૯.

શિષ્ય બોલ્યા :

પ્રભુ જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે.
આશાનું સ્થાન ન છતાં આપણે આશાથી વિશ્વાસ રાખીએ.

૨૦.

જે વચન તેમણે આપ્યું છે તે પૂરું કરવાને તે સમર્થ છે
એવો પૂરો ભરોસો રાખીને વિશ્વાસમાં દઢ રહીએ.

૨૧.

શિષ્યોએ પ્રભુ ઈસુને વિનંતી કરી :

પ્રભુ, અમારો વિશ્વાસ વધારો.

૨૨.

પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :

હું તમને નિશ્ચયપૂર્વક કહું છું કે
તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો
તમને કંઈ અશક્ય થશે નહિ મારા મર વિશ્વાસ કરો.

૨૩.

માગો અને તમને આપવામાં આવશે.
પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર શ્રદ્ધાથી માગવું.

૨૪.

જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઊછળતા તથા
અફળાતા સમુદ્રના મોજાં જેવો છે.
બેમનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.

૨૫.

ઓ બેમનવાળાઓ તમે મન પવિત્ર કરો.
વિશ્વાસ કરનારને સર્વ વાનાં શક્ય છે.
મનમાં સંદેહ ન રાખો.

૨૬.

જે કોઈ પોતાના મનમાં સંદેહ ન આણતાં
વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે,
તો તે તેને વાસ્તે થશે.

૨૭.

તમારા વિશ્વાસની પરીક્ષાથી ધીરજ ઉત્પન્ન થાય છે.

૨૮.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ વિશ્વસનીય છે.
તે અમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ
અમારા ઉપર આવવા દેશે નહિ.

૨૯.

લોકોએ પ્રભુ ઈસુને પૂછ્યું :

અમે પરમેશ્વરનાં કામ કરીએ માટે અમારે શું
કરવું જોઈએ ?

૩૦.

પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :

મારા પર તમે વિશ્વાસ કરો એ જ પરમેશ્વરનું કામ છે.

૩૧.

ઈશ્વરની વાણી તમે કદી નથી સાંભળી
અને તેનું સ્વરૂપ પણ દીઠું નથી.

૩૨.

જે મને જુએ છે તે ઈશ્વરને જુએ છે,
જે મારા પર વિશ્વાસ કરે છે તે ઈશ્વર પર વિશ્વાસ કરે છે.

૩૩.

જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહિ થાય,
પણ તે અનંતજીવન પામશે.

૩૪.

તેમને હું શાશ્વત જીવન આપું છું.
અને મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.

૩૫.

જે મારાં વચન સાંભળે છે અને વિશ્વાસ કરે છે
તે અપરાધી નહિ કરશે ;
પણ મૃત્યુમાંથી નીકળીને અમરત્વમાં આવ્યો છે.

૩૬.

જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે અંધકારમાં ન રહે માટે
જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.

૩૭.

મારા પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી ;
પણ જે વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂકયો છે,
કેમકે જગતમાં પ્રકાશ આવ્યાં છતાં
તેણે પ્રકાશના કરતાં અંધકાર ચાહ્યો.

૩૮.

મારી શાંતિ હું તમને આપું છું.
તમારા હૃદયને વ્યાકૂળ થવા ન દો, ને બીવા પણ ન દો,
તમે મારા પર વિશ્વાસ રાખો.

૩૯.

તમ઼ારી ચિંતા મારા પર નાખો, કેમકે હું તમારી ચિંતા રાખું છું.
કશાની ચિંતા ન કરો પણ તમારી અરજો મને જણાવો.

૪૦.

જેની તમને અગત્ય છે
તે તમારા માગ્યા અગાઉ હું જાણું છું.

૪૧.

આકાશનાં પક્ષીઓને જુઓ ;
હું તેઓનું પાલન કરું છું.

૪૨.

ખેતરના કૂલ છોડોનો વિચાર કરો ;
હું તેઓને પહેરાવું છું.

૪૩.

તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે ;
માટે બીહો મા.
તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહિ.

૪૪.

શ્રદ્ધાવાને કહ્યું :

અમે અમારા પોતા પર નહિ
પણ પ્રભુ પર ભરોસો રાખીએ છીએ.

૪૫.

જેના પર મેં ભરોસો કર્યો તેને હું ઓળખું છું.
જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે.

૪૬.

પોતાના મહિમાવાન અખૂટ ભંડારમાંથી
અમારી સર્વ ગરજ પ્રભુ પૂરી પાડશે.

૪૭.

પ્રભુએ કહ્યું :

જે વસ્તુઓ દશ્ય છે તેના મર દષ્ટિ ન રાખતાં
જે અદશ્ય છે તેના પર લક્ષ રાખો.

૪૮.

જે દશ્ય છે તે ક્ષણિક છે
પણ જે અદશ્ય છે તે સાર્વકાલિક છે.

૪૯.

વિશ્વાસ તો જેની આશા રાખવામાં આવે છે તેની ખાતરી અને
અદશ્ય વસ્તુઓની સાબિતી છે.

૫૦.

જાણે અદશ્યને જોતાં હો તેમ અડગ રહો.
તમે તમારા વિશ્વાસથી સ્થિર રહો છો.

૫૧.

શ્રદ્ધાવાને કહ્યું :

અમે શ્રદ્ધાથી ચાલીએ છીએ દષ્ટિથી નહિ.
અમારા વિશ્વાસના અગ્રેસર તથા શ્રદ્ધાને સંપૂર્ણ કરનાર
પ્રભુ ઈસુની તરફ લક્ષ રાખીએ છીએ.

૫૨.

આપણે આરંભમા રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ.
આપણા પરમપવિત્ર વિશ્વાસમાં વધતા જઈએ.

૫૩.

અમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહિ
પણ ઈશ્વરનાં સામર્થ્ય ઉપર હોય.

૫૪.

પ્રભુ, અમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા
શાંતિથી ભરપૂર કરો.

૫૫.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
શ્રદ્ધાયોગ નામનો તૃતીય અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (2), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

ઉદ્ધાર
નામ
દ્વિતીય અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

હૃદયભંગિતોને સાજા કરવા,
બંદીવાનોને મુક્ત કરવા
અને અંધોને દષ્ટિ આપવા હું આવ્યો છું.

૧.

જગતનો ન્યાય કરવા સારુ નહિ પણ
મારાથી જગતનો ઉદ્ધાર થાય તે માટે
હું જગતમાં આવ્યો છું.

૨.

હું જગતનો ન્યાય કરવા માટે નહિ પણ
જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.

૩.

હે પરિશ્રમ કરનારાઓ અને ભારથી લદાયેલાઓ
તમે સર્વ મારી માસે આવો
અને હું તમને વિશ્રામ આપીશ.

૪.

જે મારી પારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

૫.

ઘણા બહિષ્કૃતો અને અધમો પ્રભુ ઈસુની પાછળ આલતા હતા.

૬.

ત્યારે પ્રભુ ઈસુ બોલ્યા :

જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી
પણ જેઓ માંદા છે તેઓને જરૂર છે.

૭.

ધાર્મિકોને નહિ પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.

૮.

એક બહિષ્કૃત જનને ઘેર પ્રભુ પરોણા થવા ગયા,
ત્યારે પ્રભુ ઈસુ બોલ્યા :



૯.

જે ખોવાયેલાં છે તેને શોધવા તથા બચાવવાને હું આવ્યો છું.

૧૦.

આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી મારી ઇચ્છા નથી.

૧૧.

એક પાપી પશ્ચાત્તાપ કરે
તો તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

૧૨.

લોકો એક લકવાવાળા માણસને પ્રભુની પાસે લાવ્યા,
ત્યારે તેઓની શ્રદ્ધા જોઈને પ્રભુએ તે માણસને કહ્યું :

૧૩.

વત્સ, ર્હિમત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.
ઊઠ, તારો ખાટલો ઉપાડીને તારે ઘેર ચાલ્યો જા.

૧૪.

તે માણસ ઊઠીને ઈશ્વરસ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.

૧૫.

શહેરની એક પતિતા સ્ત્રી પ્રભુ ઈસુની પાસે આવી
અને અશ્રુથી પ્રભુના પગ ધોવા લાગી.

૧૬.

પ્રભુ ઈસુએ તેને કહ્યું :

તારાં પાપ માફ થયાં છે,
તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.

૧૭.

એક રક્તપિત્તીથો પ્રભુ ઈસુને પગે પડીને બોલ્યો :
જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.

૧૮.

પ્રભુને તેની દયા આવી આને હાથથી તેને અડકીને કહ્યું :
મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા.

૧૯.

અને તરત તેનો કોઢ ગયો ને તે શુદ્ધ થયો.

૨૦.

શુળિ પર ચડાવેલા એક ગુનેગાર ચોરે પ્રભુ ઈસુને કહ્યું :
પ્રભુ, તમારા સ્વર્ગીય રાજ્યમાં મને સંભારજો.

૨૧.

પ્રભુ ઈસુએ તેને ઉત્તર આપ્યો :

હું તને ખાતરીથી કહું છું કે
આજે તું મારી સાથે સ્વર્ગલોકમાં હોઈશ.

૨૨.

એક શિષ્યે કહ્યું :

પ્રભુનો હું ઉપકાર માનું છું
કેમકે તેમણે મને વિશ્વાસુ ગણીને
પોતાની સેવામાં દાખલ કર્યો.

૨૩.

જો કે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર
તથા જુલમી હતો,
તો પણ મારા પર દયા કરવામાં આવી.

૨૪.

આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી
મને પ્રભુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયો.

૨૫.

આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ રીતે સ્વીકારવા યોગ્ય છે,
કે પ્રભુ ઈસુ બ્રિસ્ત પાપીઓને તારવા સારુ જઞતમાં આવ્યા.
એવા પાપીઓમાં હું મુખ્ય છું.

૨૬.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાંત્મ વિદ્યામાં
ઉદ્ધાર નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next