Sunday, April 02, 2006

Hriday Gita (20), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

બૃહદ્-રૂપ

નામ

વિંશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થાય છે
ત્યાં તેઓની વચમાં હું હાજર છું.

૧.

હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો.

૨.

ભક્તે કહ્યું :

જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણાં છે
અને શરીરના અવયવો ઘણાં હોવા છતાં સર્વ મળીને
એક શરીર બને છે
તેમ ખ્રિસ્ત પ્રભુ પણ છે.

૩.

આપણે પ્રભુનું શરીર અને
તેમના જુદા જુદા અવયવો છીએ.
જેમ આપણા શરીરમાં ઘણા અવયવો છે
અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી

૪.

તેમ આપણે ઘણાં હોવા છતાં પ્રભુમાં એક શરીર છીએ ;
અને પરસ્પર એક બીજાના અવયવો છીએ.

૫.

આર્ય કે અનાર્ય, દાસ કે સ્વતંત્ર
આપણે સર્વે એક આત્માથી સંસ્કાર પામીને
એક શરીરરૂપ બન્યા છીએ.

૬.

જે વેગળાં હતા તથા જેઓ પાસે હતા
તે બધાંને પ્રભુએ એક કર્યા અને
સલાહ કરીને પોતામાં બેનું એક નવું માનવી સર્જ્યું.

૭.

હવે આર્ય કે અનાર્ય કોઈ નથી,
સુનતી કે બેસુનતી કોઈ નથી,
દાસ કે સ્વતંત્ર કોઈ નથી,
પુરુષ કે સ્ત્રી કોઈ નથી,
કેમકે આપણ સર્વ ખ્રિસ્ત પ્રભુમાં એક છીએ.

૮.

પ્રભુ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
તે આપણું જીવન છે.

૯.

જો કોઈ માણસ પ્રભુમાં છે
તો તે નવી ઉત્પત્તિ, નવું સર્જન છે.

૧૦.

પ્રભુએ દરેક અવયવને પોતાની મરજી અનુસાર
શરીરમાં ગોઠવેલા છે.

૧૧.

એનાથી આખું શરીર ગોઠવાઈને
તથા દરેક સાંધા વડે જોડાઈને
દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી
પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ પોતાની વૃદ્ધિ કરે છે.

૧૨.

પ્રભુએ કહ્યું :

હું શરીરનું શિર છું.
શિરથી આખું શરીર પોષણ પામીને તથા જોડાઈને
વૃદ્ધિ પામે છે.

૧૩.

ભક્તે કહ્યું :

પ્રેમથી સત્યને અનુસરીને
ખ્રિસ્ત જે શિર છે તેમાં આપણે સર્વ પ્રકારે વધીએ.

૧૪.

જો સર્વ એક અવયવ હોય તો શરીર ક્યાં હોત ?
અવયવો ઘણાં છે પણ શરીર એક જ છે.
આપણે ઘણાં છતાં એક શરીરરૂપી છીએ.

૧૫.

પભુએ શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે
શરીરમાં ફાટફૂટ ત પડે;
પરંતુ બધા અવયવો એકબીજાને માટે એકસરખી ચિંતા રાખે.

૧૬.

જો એક અવયવ દુ:ખી થાય તો
તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે.

૧૭.

તેમ જ જો એક અવયવને માન મળે તો
તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.

૧૮.

કૃપાદાનો અનેક પ્રકારના છે, તોપણ આત્મા તો
એકનો એક,
સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકના એક,
કાર્યો અનેક પ્રકારના છે, પણ પ્રભુ તો એકના એક,
જે સર્વમાં કર્તાહર્તા છે.

૧૯.

પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદાં જુદાં દાન
વહેંચી આપીને
એ સર્વ કરાવનાર એ તે એ જ પવિત્રાત્મા છે.

૨૦.

પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને
સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.

૨૧.

આપણાં શરીરો પ્રભુના અવયવો છે.
એક શરીર તથા એક આત્મા છે.
એક પ્રભુ જે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ
સર્વમાં છે.

૨૨.

પ્રભુ બોલ્યા :

તમે એક થાઓ માટે મેં મારો મહિમા તમને આપ્યો છે.
હું તમારામાં વસુ, જેથી તમે સંપૂર્ણ થઈને એક થાઓ.

૨૩.

ત્યારે એક ભક્ત બોલ્યા :

પ્રભુએ પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો છે કે
સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં
સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો તે
પોતામાં સમાવેશ કરે.

૨૪.

તેથી પૃથ્વી પરના હોય કે સ્વર્ગમાંના હોય તે
સઘળાનું તે પોતાની સાથે સમાધાન કરાવે છે.

૨૫.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
બૃહદ્-રૂપ નામનો વિંશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment