Sunday, April 02, 2006

Hriday Gita (24), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter ઉપસંહાર

પ્રભુએ કહ્યું :

તમે જે જુઓ છો તે ઘણા જોવા ચાહતા હતા
પણ તેઓ જોવા પામ્યા નહિ ;
અને તમે જે સાંભળો છે તે તેઓ સાંભળવા ચાહતા હતા
પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ.

૧.

જેઓ મારી વાત સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે.

૨.

જો કોઈ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહે તો
તે આ બોધ વિશે સમજશે.

૩.

જગતના અંત સુધી
સર્વકાળ હું તમારી સાથે છું.
તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, શાંતિ થાઓ !

૪.

ભક્તે કહ્યું :

જે આ વચન સાંભળે તેણે તેને મનુષ્યના વચન જેવું નહિ પણ
જેમ તે ખરેખર પરમેશ્વરનું વચન છે તેમ તેને
સ્વીકારવું.

૫.

જે પરમેશ્વરનો છે તે પરમેશ્વરેનાં વચન સાંભળે છે.

૬.

આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.
પ્રભુનું વચન જીવંત તથા સદાકાળ ટકનાર છે.
પ્રભુનું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નથી.

૭.

જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમકે
પ્રભુ તરફથી જે વાત કહેવામાં આવી છે તે પૂરી થશે.

૮.

તથાસ્તુ

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
પરમગતિ નામનો ત્રયોવિંશ અધ્યાય સમાપ્ત.

-

શ્રી હૃદયગીતા સમાપ્ત


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter

No comments:

Post a Comment