Sunday, April 02, 2006

Hriday Gita (23), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પરમગતિ

નામ

ત્રયોવિંશ અધ્યાય


પ્રભુ બોલ્યા :

જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મને
અનુસરવું અને
જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ રહેશે.

૧.

ભક્ત બોલ્યા :

પ્રભુએ સ્વર્ગીય સ્થાનોમાં પોતાની સાથે અમને
બેસાડ્યા અને
સ્વર્ગીયમાં દરેક આધ્યત્મિક આશીર્વાદથી અમને
આશીર્વાદિત કર્યા છે.

૨.

સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ
જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા
રાખીએ છીએ.

૩.

પ્રભુએ આપણે સારુ એક શહેર તૈયાર કર્યું છે,
જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે,
તેની આશા આપણે રાખીએ છીએ.

૪.

આપણે પ્રભુના વચન પ્રમાણે નવા આકાશ અને નવી પૃથ્વી
જેમાં નીતિમયતા વસે છે તેની વાટ જોઈએ છીએ.
આપણી નાગરિક્તા સ્વર્ગમાં છે.

૫.

સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરપુત્રોના પ્રગટ થવાની
વાટ જોયા કરે છે.

૬.

સૃષ્ટિ પોતે પણ વિનાશના દાસત્વમાંથી મુક્ત થઈને
ઈશ્વરપુત્રોના મહિમાની સહભાગી મુક્તિ પામવાની
આશા રાખે છે.

૭.

પ્રભુ બોલ્યા :

જુઓ, હું સઘળું નવું બનાવું છું.

૮.

શ્રદ્ધાવાને કહ્યું :

પાથિવ સ્વર્ગીય રાજ્યનો વારસો પામી શકતા નથી.
વિનાશીત્વ અવિનાશીત્વનો નારસો પામનાર નથી.

૯.

જેમ આપણે પાર્થિવની પ્રતિમા ધારણ કરી છે
તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું.

૧૦.

હમણાં આપણે ઝાંખું ઝાંખું જોઈએ છીએ પણ ત્યારે
નજરો નજર જોઈશું.

૧૧.

હમણાં હું અપૂર્ણ જાણું છું પણ ત્યારે
જેમ હું પોતે જણાયેલો છું તેમ જાણીશ.

૧૨.

હાલ આપણે ઈશ્વરનાં સંતાન છીએ અને
આપણે કેવા થઈશું તે હજી પ્રગટ થયું નથી.

૧૩.

જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું.
જેવો સ્વર્ગીય તે છે તેવા જે સ્વર્ગીય છે તેઓ પણ છે.

૧૪.

જે રદ થવાનું તે જો ગૌરવાન્વિત છે
તો જે સ્થાયી રહેનારું તે વિશેષ ગૌરવપૂર્ણ છે.

૧૫.

પ્રભુ બોલ્યા :

હું તમને મારી પાસે લઈશ
જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ મારી પાસે રહો.

૧૬.

ત્યારે ભક્ત અને શ્રદ્ધાવાનોએ એક સાથે કહ્યું :
પ્રભુ આપણને પોતાની સમક્ષ પરમાનંદમાં મૂકવાને
સમર્થ છે.

૧૭.

પ્રભુએ આપણને પ્રકાશના સંતોના વારસાના
ભાગીદાર કર્યા છે.

૧૮.

ત્યાં રાત પડશે નહિ,
ત્યાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી ;
કેમકે પરમેશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે.

૧૯.

પ્રભુ પોતે આપણા પર પ્રકાશશે
અને આપણે સદા પ્રભુની સાથે રહીશું.

૨૦.

જે વાનાં આંખે જોયાં નથી
કાને સાંભળ્યાં નથી
માનવીઓના મનમાં પેઠાં નથી
તે પ્રભુએ પ્રભુપ્રેમીઓ માટે સિદ્ધ કર્યાં છે.

૨૨.

ત્યારે ન્યાયીઓ પિતાના રાજ્યમાં
સૂર્યની પેઠે પ્રકાશશે.

૨૩.

-



(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment